વડાપ્રધાન મોદીના હમશકલ અભિનંદન પાઠકને ચૂંટણી પંચે નોટિસ ફટકારી :આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનનો આરોપ
પાઠકે કહ્યું તું 'હું સ્વતંત્ર છું. મારો નારા એક વોટ-એક નોટ છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના હમશકલ અભિનંદન પાઠકને ચૂંટણી પંચે નોટિસ ફટકારી છે. અભિનંદન પાઠક સામે આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનનો આરોપ છે.અભિનંદન પાઠક લખનઉમાં તેમણે 12 એપ્રિલે ગૃહ મંત્રી રાજનાથ સિંહ વિરુદ્ધ નામાંકન દાખલ કર્યું હતું. આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે, 'હું સ્વતંત્ર છું. મારો નારા એક વોટ-એક નોટ છે. ' કમિશનને તેમના આ વાત ન ગમી અને તેમણે તેમને નોટીસ આપી દીધી
અભિનંદન પાઠકે 2014 ની લોકસભાની ચૂંટણીઓમાં પીએમ મોદી અને ભાજપનો ચૂંટણી પ્રચાર કર્યો હતો, પરંતુ આ વખતે તેમણે કોંગ્રેસ માટે પ્રચાર કરવાની વાત કરી હતી. અભિનંદન પાઠકએ કહ્યું, 'હું બનારસ (વારાણસી) થી 26 એપ્રિલે ફોર્મ દાખલ કરીશ . હું ડમી કેન્ડીડડેટ નથી, હું કોઈના વિરુદ્ધ પણ નથી, ફક્ત અત્યાચાર વિરુદ્ધ છું. ચૂંટણી જીત્યા પછી હું રાહુલ ગાંધીના વડા પ્રધાનપદની દાવેદીરાને સમર્થન આપીશ. '
ઉત્તર પ્રદેશના સહારનપુરમાં રહેતા અભિનંદન પાઠકે પહેલા કહ્યું હતું કે હવે તેઓ બીજેપી માટે આગળથી ઝુંબેશ નહીં કરશે. તેઓનો દાવો છે કે આવું એટલા માટે છે કારણ કે સરકાર સામે સાર્વજનિક ક્રોધનો સામનો કરવાથી પરેશાન છે. તેમણે ભાજપ પર વડાપ્રધાનને નીચું બતાવવાનો આરોપ મૂક્યો હતો. તેમણે આગળ કહ્યું હતું કે આ જોઈને આશ્ચર્ય છું કે વડાપ્રધાન મોદી જે વિચારે છે અને કહે છે, બીજેપી વાસ્તવમાં તેનાથી વિરુદ્ધ દિશામાં કાર્ય કરે છે.