મુખ્ય સમાચાર
News of Monday, 15th April 2019

પગાર મુદ્દે જેટ એરવેઝના 1000 પાયલોટ આકરા મૂડમાં :સોમવારથી વિમાન નહીં ઉડાવે

જેટના પાઇલટ તેમજ ઈજનેરો અને વરિષ્ઠ સંચાલકોને જાન્યુઆરીથી પગાર મળ્યો નથી.

નવી દિલ્હી :જેટ એરવેઝમાં પગારના મામલે પાઇલટે વિરોધ નોંધાવતા સોમવારથી જેટના 1,100 પાઈલટે વિમાન નહીં ઉડાવવાનું જણાવ્યું છે. જેટલના પાઇલટ સોમવારે સવારના 10 વાગ્યાથી વિમાન નહીં ઉડાવે તેમ એરલાઈનના પાઈલટના સંગઠન નેશનલ એવિએટર્સ ગીલ્ડ (NAG)એ જણાવ્યું છે.

  સૂત્રોના મતે જેટના પાઇલટ તેમજ ઈજનેરો અને વરિષ્ઠ સંચાલકોને જાન્યુઆરીથી પગાર મળ્યો નથી. નાદારીની અણીએ ઊભેલી જેટ એરવેઝે અન્ય વર્ગના કર્મચારીઓને માર્ચ મહિનાનો પણ પગાર ચૂકવ્યો નથી.

‘  કંપનીએ સાડા ત્રણ મહિનાથી પગાર ચૂકવ્યો નથી અને હવે ક્યારે ચૂકવશે તે પણ ખબર નથી. જેથી પાઇલટે 15 એપ્રિલથી વિમાન નહીં ઉડાવવાનો નિર્ણય કર્યો છે. એનએજીના 1,11 પાઇલટ સોમવારે 10 વાગ્યાથી વિમાન ઉડાવશે નહીં,’ તેમ સંગઠના સૂત્રએ જણાવ્યું હતું.

   યુનિયને અગાઉ માર્ચમાં પગારના વિરોધ સામે 1લી એપ્રિલથી વિમાન નહીં ઉડાવવાનો નિર્ણય લીધઓ હતો જો કે 31 માર્ચે આ નિર્ણયને ટાળ્યો હતો અને નવા મેનેજમેન્ટને વધુ 15 દિવસનો સમય આપ્યો હતો. વર્તમાન સમયે જેટનું સંચાલન સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સંલગ્ન કન્સોર્ટિયમ કરી રહ્યું છે. કંપનીની દેવા પુર્નગઠન યોજનાને મંજૂરી મળ્યા બાદ જેટના ચેરમેન નરેશ ગોયલે પણ રાજીનામું આપી દીધું હતું. જેટ માટેની બિડમાં નરેશ ગોયલ પણ ભાગ લેશે

(12:00 am IST)