સોમવારે ગંગામાં નાવસવારી કરી પ્રિયંકા ગાંધી મોદીને પૂછશે ''પાંચ વર્ષમાં ગંગા કેટલી સાફ થઇ ?''
નવી દિલ્હી : કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી સોમવાર તા. ૧૮ થી નરેન્દ્રભાઇના મતક્ષેત્ર વારાણસી-બનારસ જઇ રહેલ છે.પ્રિયંકા હવે મોદી સરકાર વિરૂદ્ધ ઘેરાબંધીને વેગ આપી રહેલ છે. આગામી દિવસોમાં તે ભાજપ સરકારની ઉજ્જવલા, નમામિ ગંગે અને જનધન યોજનાઓની સફળતા અંગે પડકાર ફેંકવા જઇ રહી છે. ૧૮ માર્ચ સોમવારથી શરૂઆત કરશે.
દસ્તાવેજોના આધારે પ્રિયંકા ગાંધી પત્રકાર પરિષદ નહિ, પરંતુ જાતે જ ગંગા નદીમાં મોટર બોટમાં બેસી ગંગા નદીની સફાઇની નિષ્ફળતા અંગે વડાપ્રધાનને પ્રશ્નો પૂછવાની તૈયારીમાં હોવાનું જાણવા મળે છે.કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે ૧૮ માર્ચ સોમવારે પ્રિયંકા પ્રયાગરાજ પહોંચશે. ત્યાંથી એક હોડી અને મોટર બોટમાં બેસી મોદી સરકાને પૂછશે કે પાંચ વર્ષમાં ગંગા કેટલી સાફ થઇ ?