મુખ્ય સમાચાર
News of Saturday, 16th March 2019

પાકિસ્તાન નહિ સુધરે... હજુ બોલે છે આતંકી ભાષાઃ કરતારપુરનું નામ ''ખાલીસ્તાન સ્ટેશન'' રાખવું છે

પાક રેલ્વે મંત્રીએ બુદ્ધિનું દેવાળું ફુંકયું: બફાટ

ઇસ્લામાબાદ તા.૧૬: પાકિસ્તાન પોતાની નાપાક હરકતો મુકવા જ નથી માંગતું. પાકિસ્તાને ફરી એક વખત આતંકી ભાષા બોલી છે. પાકિસ્તાનના રેલ્વે મંત્રીએ કહ્યું છે કે કરતારપુરનું નામ ખાલીસ્તાન રાખવું જોઇએ.

પાક રેલ્વે મંત્રી શેખ રશીદ અહેમદે એક ટીવી ચેનલને કહ્યું હતું કે કરતારપુરનું નામ ખાલીસ્તાન સ્ટેશન રાખવું જોઇએ. હું આ માટે વિદેશ મંત્રાલયને વાત કરીશ.

કરતારપુર કોરીડોર સિખો માટે પવિત્ર જગ્યા પૈકીની એક છે.

(11:23 am IST)