મુખ્ય સમાચાર
News of Saturday, 16th March 2019

ન્યુઝીલેન્ડમાં થયેલા આતંકી હુમલાથી ભારતીય મૂળના 4 સહીત કુલ 6 ભારતીયોના મોત થયાની આશંકા : 9 ભારતીયો લાપત્તા : હુમલાથી મોત પામેલા લોકોનો સત્તાવાર આંકડો 49

ન્યુઝીલેન્ડ : ન્યૂઝીલેન્ડની 2 મસ્જિદમાં થયેલા આતંકી હુમલાને કારણે ભારતીય મૂળના  4 સહીત કુલ 6 ભારતીયોના મોત થયા હોવાની આશંકા છે. ઉપરાંત  9 ભારતીયો લાપત્તા હોવાનું જાણવા મળે છે.કુલ મૃત્યુ આંક 49 થઇ ગયો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 ભારતીય ડિપ્લોમેટ્સ સંજીવ કોહલીએ જણાવ્યું કે, પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટનામાં બે ભારતીયો અને ચાર ભારતીય મૂળના લોકોનાં મોતની આશંકા છે. જો કે, ન્યૂઝીલેન્ડની સરકારે હજુ સુધી આ વાતની પુષ્ટિ નથી કરી. ભારતીય હાઇ કમિશનની હેલ્પલાઇનમાં અનેક લોકોનાં ફોન આવી રહ્યા છે અને આ જાણકારી આ જ પૂછપરછ અને ક્રાઇસ્ટચર્ચના ભારતીય સમુદાય તરફથી મળતી જાણકારી પર આધારિત છે. કોહલીનું કહેવું છે કે, માર્યા ગયેલા લોકોમાંથી બે હૈદરાબાદ, એક ગુજરાત અને એક પૂણેનો હોવાનું માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે હુમલાગ્રસ્ત આ વિસ્તાર ક્રાઇસ્ટચર્ચમાં 30 હજાર જેટલા ભારતીયો વસે છે.

(9:04 pm IST)