News of Friday, 16th February 2018
PNB કૌભાંડ બેકિંગ ફ્રોડ છે:તમામ રકમ રિકવર કરી લેવાશે :પ્રકાશ જાવડેકર
કૌભાંડ 2011માં યુપીએ સરકાર વખતે આચરાયું :એનડીએની સતર્કતાથી બહાર આવ્યું :તપાસ ચાલુ છે
નવી દિલ્હી :પંજાબ નેશનલ બેંક કૌભાંડ 2011માં યુપીએ સરકાર વખતે આચરવામાં આવ્યું હતુ. પરંતુ એનડીએની સતર્કતાના કારણે આ કૌભાંડ બહાર આવ્યું છે તેમ કહીને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે આ સરકારનું કોઇ કૌભાંડ નથી પરંતુ બેકિંગ કૌભાંડ છે.
જાવડેકરે જણાવ્યું એમ પણ કહ્યું હતું કે આ એક બેકિંગ ફ્રોડ છે. જેની તપાસ ચાલી રહી છે. સરકાર લોકોને સુનિશ્ચિત કરવા માંગે છે કે તમામ રકમ રિકવર કરી લેવાશે.
(1:00 am IST)