દુષ્કર્મના કેસોના આરોપીને ફાંસી આપવા પ્રશ્ને ૧૩ દિ’થી અનશન કરી રહેલા મહિલા આયોગના અધ્યક્ષ સ્વામી માલવીયાની તબીયત નરમ : ૭ કિલો વજન ઘટયું હોસ્પિટલમાં ન જવાની હઠ પકડ્યા બાદ આજે સવારે બેભાન થઇ ગઇ
નવી દિલ્હી : દિલ્હીના મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતી માલિવાલની તબિયત લથડી છે. અને તેમને એલએનજેપી હોસ્પિટલમાં ખસેડાયા છે..તેઓ દુષ્કર્મ કેસના દોષિતોને ઝડપી ફાંસી આપવામાં આવે તેવી માંગ સાથે 13 દિવસથી અનશન પર છે. અચોક્કસ મુદ્તના અનશનના કારણે સ્વાતી માલિવાલના વજનમાં સાત કિલોનો ઘટાડો નોંધાયો છે.
દિલ્હી મહિલા આયોગના મતે સ્વાતિ માલીવાલ કમજોરીના કારણે વાત કરવા પણ અસમર્થ છે. તબીબોના મતે સ્વાતિ માલિવાલનું યુરિક એસિડ વધ્યુ છે. અને વાઈટરલ પેરામીટર ફ્લક્યુએટ કરી રહયુ છે. જેથી તેઓને હોસ્પિટલ ખસેડાયા. સવાત તેઓ બેહોશ થયા હતા. અને તેથી હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી. ગતરાતે તબીબોની ટીમે ચેકઅપ કર્યુ અને તુરંત જ હોસ્પિટલમાં ખસેડવાની સલાહ આપી પરંતુ તેઓ ન માનતા તેઓ આજ સવારે બેભાન થયા.