મુખ્ય સમાચાર
News of Monday, 15th November 2021

શ્રીનગરમાં બે આતંકીઓ ઠાર: ત્રીજાની તલાસ : મૃતકોમાં એક 11 દિવસ પહેલા સામેલ થયો હતો

(સુરેશ એસ ડુગ્ગર દ્વારા ) જમ્મુ : શ્રીનગરમાં આજે મોડી રાત્રે પોલીસે બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. હાલ ત્રીજા આતંકીની શોધ ચાલી રહી છે. જોકે પોલીસ દ્વારા માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખની પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ એક આતંકવાદી લગભગ 11 દિવસ પહેલા સામેલ થયો હતો ,

છેલ્લા 24 કલાક દરમિયાન શ્રીનગર શહેરમાં આ બીજી એન્કાઉન્ટર છે. આ પહેલા રવિવારે સાંજે નવાકદલમાં આતંકવાદીઓ પોલીસ પાર્ટી પર ઓચિંતો હુમલો કરીને ભાગી જવામાં સફળ થયા હતા. આ હુમલામાં એક પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયો હતો. સૈનિકોની શરણાગતિની ચેતવણીને ફગાવીને આતંકવાદીઓએ ગોળીબાર કર્યો, સૈનિકોએ પણ જવાબી કાર્યવાહી કરી અને પછીની છ મિનિટમાં એક આતંકવાદી માર્યો ગયો.અન્ય બે આતંકવાદીઓ ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીના મૃતદેહને લઈને સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

 આ દરમિયાન હાઈવે પર વાહનોની અવરજવર પણ થોડો સમય બંધ રાખવામાં આવી હતી. માર્યા ગયેલા આતંકવાદીના અન્ય સાથીઓને ફરીથી સૈનિકોએ લગભગ 8.45 કલાકે ઘેરી લીધા હતા અને ત્યારપછી એક અન્ય આતંકવાદી પણ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.સંબંધિત પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે માર્યા ગયેલા આતંકવાદીઓના અન્ય બચેલા સાથીઓ માટે શોધ ચાલુ છે. માર્યા ગયેલા બે આતંકવાદીઓના મૃતદેહ, તેમના હથિયારો અને અન્ય સામગ્રી મળી આવી છે, પરંતુ તેમની ઓળખની પુષ્ટિ થઈ નથી. જોકે, સ્થાનિક સૂત્રોએ જણાવ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓમાં એક સમીર અહેમદ તંત્રે છે. આ મહિનાની 4 તારીખે પોતાના ઘરેથી ગુમ થયા બાદ તે આતંકવાદી બન્યો હતો. તે દક્ષિણ કાશ્મીરના બરગામ ત્રાલનો રહેવાસી છે.

(12:33 am IST)