News of Friday, 15th November 2019
ગર્વનરને કાલે ૩ વાગે મળશે એનસીપી-કોંગ્રેસ-શીવસેનાના નેતાઓઃ મહારાષ્ટ્રમાં વહીવટીતંત્ર ઠપ્પ થઇ ગયું હોય દોડતુ કરવા કહેશેઃ સરકાર રચવાની માગણી કરવાના નથીઃ કોંગ્રેસ જો સરકારમાં જોડાય તો જ નવી સરકાર માટે દાવો થશેઃ એનસીપી પ્રવકતા નવાબ મલીકની સાફ વાત
નવાબ મલીકે ટીવી ઇન્ટરવ્યુમાં કહયુ કે ખેડુતો માટે ૧૦ હજાર કરોડ જાહેર કર્યા પણ કશું અપાયું નથીઃ દર્દીઓને કંઇ અપાતુ નથીઃ અનેક મોત થયા છેઃ મહારાષ્ટ્રમાં વહીવટ સંપૂર્ણ ઠપ્પઃ લોકો ભયંકર હેરાન-પરેશાન મલીક કહે છે સરકાર રચવા દાવો કરવાની વાત જ નથી સયુંકત ન્યુનતમ પ્રોગામ નકકી છેઃ પણ કોંગ્રેસ જો નવી સરકારમાં જોડાય તો જ સરકાર બનાવવાની દિશામાં આગળ વધશું ત્યાં સુધી કંઇ જ નહિ થાયઃ ત્રણેય પક્ષ એનસીપી-કોંગ્રેસ-શીવસેના નવા મોરચામાં જોડાય તો સરકાર બનશેઃ હવે સોનીયાજી-ઉધ્ધવજી અને શરદ પવાર અંતિમ નિર્ણય લેશે તેમ નવાબ મલીકે કહેલ.
(4:06 pm IST)