મુખ્ય સમાચાર
News of Friday, 15th November 2019

શાહબુદ્દીન રાઠોડની હાસ્ય સાધનાના પચાસ વર્ષ

હસો, હસાવો અને હસી નાખો

મુંબઇ, તા.૧પઃ પ્રખ્યાત હાસ્ય સમ્રાટ શાહબુદ્દીન રાઠોડ તેમની કારકિર્દી વિશે કહે છે, કે 'મારી હાસ્ય સાધનાને, આરાધનાને, ઉપાસનાને, હાસ્ય દરબારને તૉં ૧૪મી નવેમ્બર, ૨૦૧૯ના રોજ પચાસ વર્ષ પૂરા થયા છે. મારી હાસ્ય યાત્રા પચાસ વર્ષનો માઇલ સ્ટોન વટાવી એકાવનમાં વર્ષમાં આગળ વધી રહી છે. ત્યારે મુંબઇ આ સુવર્ણ મહોત્સવ શાનદાર રીતે ઉજવી રહ્યું  છે, તેનો મને આનંદ છે. મારી હાસ્ય અંગેની સંકલ્પના માત્ર ત્રણ જ શબ્દોમાં પૂરી થાય છે. હસો, હસાવો અને હસી નાખો. હસતાં રહો ને હાસ્યને વધુ ને વધુ વિશુદ્ઘ કરતાં રહો.

(10:25 am IST)