News of Tuesday, 15th October 2019
પઠાણકોટ હુમલા બાદ વાયુસેનાનો નિર્ણય: પાક. બોર્ડર પરના પાંચ એરબેઝ હાઇરિસ્ક ઝોનમાં સામેલ કરાયા : સુરક્ષામાં વધારો કરાયો
ઈન્ટિગ્રેટેડ પરમિટર સિક્યુરિટી સિસ્ટમ લગાવવામાં આવશે.
નવી દિલ્હી : પઠાણકોટ આતંકી હુમલા બાદ વાયુસેનાએ પોતાના એરબેઝની સુરક્ષિત કરવા માટે મોટો નિર્ણય લેવા જઈ રહી છે. રાજસ્થાનમાં પાકિસ્તાન બોર્ડરની આસપાસના 5 એરબેઝને હાઈરિસ્ક ઝોનમાં સામેલ કરવામાં આવ્યા છે.
ઉત્તરલાઈ, જેસલમેર, નાલ, સૂરતગઢનું ફોરવર્ડ તથા જોધપુરનું પ્રીમિયર અને બેકઅપ એરબેઝની સુરક્ષા પણ પઠાણકોટ એરબેઝની જેમ અભેદ કરાશે. અહીં ઈન્ટિગ્રેટેડ પરમિટર સિક્યુરિટી સિસ્ટમ લગાવવામાં આવશે.
જેથી ઠેર ઠેર મલ્ટિ લેયર્ડ સિક્યુરિટી હશે. ભારત ઈલેક્ટ્રોનિક લિમિટેડે પઠાણકોટમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ સિસ્ટમ તૈયાર કરી છે. ડિસેમ્બર સુધીમાં તે શરૂ થઈ શકે છે. બાદમાં દેશના અન્ય 23 એરબેઝને પણ આ સિસ્ટમથી સુરક્ષિત કરાશે.
(9:50 pm IST)