News of Tuesday, 15th October 2019
ખોદયો ડુંગર નિકળી ઉંદરડી, એ પણ મરેલીઃ સોનિયાના કોંગ્રેસ અધ્યક્ષ બનવા પર હરિયાણાના મનોહરલાલ ખટ્ટરનો બેફામ વાણી વિલાસ
હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરએ સોનિયા ગાંધીને કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ બનાવવા પર કહ્યું છે કે ખોદયો ડુંગર નીકળી ઉંદરડી એ પણ મરેલી.
એમણે કહ્યું રાહુુલ ગાંધીએ અધ્યક્ષતા છોડી દીધી અને કહ્યું કે ગાંધી પરિવારથી બહારના નવા અધ્યક્ષ લાવો આ લોકો આખા દેશમાં ઘુમવા લાગ્યા છે. પણ ત્રણ મહીના પછી કોણ બન્યુ ? સોનિયા ગાંધી.
કોંગ્રેસએ કહ્યું કે ખટ્ટરનું નિવેદન અને વાહિયાત છે ખટ્ટર માફી માંગે.
(9:42 am IST)