News of Monday, 15th October 2018
છત્તીસગઢમાં એસયુવી કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત :10 લોકોના કરૂણમોત
રાજનાંદગાંવ-દુર્ગ રોડ પર માતાના દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો
છત્તીસગઢના રાજનાંદગાંવમાં રવિવારે એક એસયુવી કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં એસયૂવીમાં સવાર 10 લોકોનાં કરૂણમોત નિપજ્યાં છે. મૃતકમાં 6 મહિલાઓ છે. જ્યારે 4 લોકો ઘાયલ થયાં છે.
જાણવા મળ્યા મુજબ આ દુર્ઘટના રાજનાંદગાંવ-દુર્ગ માર્ગ પર થયો છે. આ અકસ્માત ડોંગરગઢથી નવરાત્રિ ઉત્સવ દરમિયાન મા બમ્મલેશ્વરી મંદિરના દર્શન કરી આ લોકો પરત ફરી રહ્યાં હતા ત્યારે થયો. ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હતો.
(12:00 am IST)