મુખ્ય સમાચાર
News of Sunday, 15th September 2019

મમતા બેનરજી પોતાની ભાષા બદલે નહી તો તેની હાલત પણ કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમ જેવી થશે

ભાજપ ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ ફરી વિવાદમાં સપડાયા

ઉત્તરપ્રદેશનાં બલિયા જિલ્લાના બૈરિયાથી ભાજપ ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ ફરી વિવાદમાં સપડાયા છે. આ વખતે સુરેન્દ્ર સિંહે ટીએમસીનાં વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પ્રહાર કર્યો છે.

    તેમણે મમતા બેનરજી પર વિદેશી શક્તિઓના જોરે રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ તેમણે કહ્યું, મમતા બેનરજીને પોતાની ભાષા બદલે નહી તો તેની હાલત પણ કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમ જેવી થશે. મમતા બેનરજી એક ભારતીય છે તેથી તે અહીં રહી શકે છે. જો તે દેશ વિરોધી ભાવનાથી પ્રભાવિત થશે તો તેમને પાઠ ભણાવવામાં આવશે.

   પશ્ચિમ બંગાળમાં NRC મુદ્દે મમતા બેનરજીનાં નિવેદન પર તેમણે કહ્યું કે, મમતા વિદેશી શક્તિના દમ પર રાજનીતિ કરે છે. તે ભૂલી જાય છે કે, હવે તેના ખરાબ દિવસો આવવાના છે. જો તે પોતાના ભાવ અને ભાષા નહી બદલે તો તેની હાલત પણ કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમ જેવી થશે.

(6:13 pm IST)