News of Friday, 14th September 2018
ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે પત્ની સાથે કર્યા લાલબાગ કા રાજાના દર્શન :સિદ્ધિવિનાયક મંદિરમાં પણ પૂજા અર્ચન કર્યા
મુંબઈ :ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે મુંબઈમાં જાણીતા ગણેશ પંડાલ લાલબાગ કા રાજાના દર્શન કર્યા હતા તેઓ તેમના પત્ની સાથે મુંબઈમાં વિવિધ ગણેશ પંડાલમાં દર્શન કર્યા હતા સાથે પ્રભાદેવીમાં સિદ્ધિવિનાયક મંદિરમાં પણ પૂજા અર્ચના કરી હતી
દરવર્ષની જેમ આ વર્ષે પણ લાલબાગના રાજાના પંડાલને ભવ્ય રીતે સજાવવામાં આવ્યો છે. અને આ પંડાલની થીમ ઈકોફ્રેન્ડલી છે. લાલબાગના રાજા અત્યંત લોકપ્રિય છે. શ્રદ્ધાળુઓ દર્શન માટે લાંબી લાઈનોમાં કલાકો સુધી ઉભા રહીને રાહ જોતા હોય છે.
એમ માનવામાં આવે છે કે અહીં ગણેશ પ્રતિમાના દર્શન કરવા માત્રથી શ્રદ્ધાળુઓની તમામ મનોકામના પૂરી થઈ જાય છે. લાલબાગના રાજાના દરબારમાં અનેક રાજનેતાથી લઈને બોલીવુડના સિતારાઓ દર્શન માટે આવતા હોય છે.
(12:09 am IST)