News of Friday, 14th September 2018
40 ટ્રેનોના ફ્લેક્સી ફેરમાં રાહત આપવાની થશે જાહેરાત : રેલવે બોર્ડે રાહત આપવા માટે ઘણા ઓપ્શન્સ તૈયાર કર્યા
નવી દિલ્હી :ફ્લેક્સી ફેરના કારણે મોંઘી મુસાફરી કરી રહેલા રેલવે યાત્રીઓને જલ્દી જ રાહત મળી શકે છે. રેલવે બોર્ડે રાહત આપવા માટે ઘણા ઓપ્શન્સ તૈયાર કર્યા છે અને હવે આશા છે કે આગામી દિવસોમાં રેલમંત્રી પીયૂષ ગોયલ આ વિકલ્પોને મંજૂરી આપી શકે છે. જો કે, રેલવે યાત્રીઓને કેટલી રાહત મળશે તે તો રેલવેમંત્રી કયો વિકલ્પ પસંદ કરે છે તેના પર આધાર રાખે છે.
(11:33 pm IST)