News of Friday, 14th September 2018
૧૫ દિવસમાં તાવ ૩૬ લોકોને ભરખી ગયોઃ યુપીમાં હાહાકાર
લખનઉઃ ઉત્તર પ્રદેશના બરેલી અને બદાયુ જિલ્લામાં છેલ્લા ૧૫ દિવસમાં તાવને કારણે ૩૬નાં મોત થતાં હાહાકાર થઈ ગયો હતો. આરોગ્ય મંત્રી સિદ્ધાર્થનાથસિંહે બરેલીની મુલાકાત લઈ આ ઘટનામાં તપાસ કરવા ખાતરી આપી હતી અને સ્વચ્છતામાં બેદરકારી બદલ આરોગ્ય મંત્રાલયના ડિરેકટર અગરવાલ અને મેલેરિયા અધિકારી જૈનને સસ્પેન્ડ કર્યા હતા.(૩૦.૨)
(12:04 pm IST)