મુખ્ય સમાચાર
News of Friday, 14th September 2018

પેટ્રોલ - ડીઝલની વધતી કિંમત : રાહત આપવામાં ઉતાવળ નહીં કરે સરકાર

પગલુ લેતા પહેલા ગુણાકાર - ભાગાકાર કરશે સરકાર

નવી દિલ્હી તા. ૧૪ : પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતથી મોદી સરકાર ચિંતિત છે પરંતુ ઉતાવળમાં કોઈ પગલાં લેવાના મૂડમાં નથી. સૂત્રો મુજબ નરેન્દ્ર મોદી શનિવારે આર્થિક પરિષદની મીટિંગમાં આ મુદ્દે પ્રતિભાવો લઈ શકે છે. મળેલી જાણકારી અનુસાર, ચિંતા છતાં પીએમ મોદી કોઈ મોટું પગલું નહીં ભરે. આગળ જે પણ નિર્ણય લેવાશે તે અધિકારીઓ દ્વારા ઘણા સરવાળા-બાદબાકી કર્યા પછી લેવામાં આવશે.

હકીકતમાં લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદી કેટલીક મોટી કલ્યાણકારી યોજનાઓ દ્વારા મોટો દાવ રમવા ઈચ્છે છે. તેમણે પોતાના સરકારી મંત્રીઓ અને અધિકારીઓને સ્પષ્ટ કહ્યું છે, આયુષ્માન યોજનાને તાબડતોડ લાગૂ કરવાની છે. આ માટે ફંડની થોડી પણ અછત ન થવી જોઈએ. આ ઉપરાંત સરકાર ઉજ્જવલા યોજના, મફત મકાન અને દરેક ઘરમાં વિજળીની યોજના માટે ચૂંટણી પહેલા વધારે ફંડ ઉપલબ્ધ કરાવી શકે છે.

પીએમ મોદીએ સંકેત આપ્યો છે કે લોકસભા ચૂંટણીમાં બીજેપી આ યોજનાઓને લઈને આવશે. બીજેપીની ઉજ્જવલા યોજનાનો અત્યાર સુધી મોટો પોલિટીકલ ફાયદો મળતો રહ્યો છે. એવામાં સરકારને લાગે છે કે જો પેટ્રોલની કિંમત ઓછી કરવા માટે ટેકસ ઓછો કર્યો તો તેનાથી સરકારી તિજોરીને નુકસાન થશે અને તેની સીધી અસર આ યોજનાઓના અમલમાં પડશે. સરકારે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આ કિંમતે પેટ્રોલ-ડીઝલની કિંમત ઓછી નહીં કરવામાં આવે. પીએમ મોદીએ અધિકારીઓને કહ્યું છે કે જો આ જરૂરી યોજનાઓ બાદ પણ ટેકસમાં ઘટાડો કરવાની કોઈ ખાસ તક રહેશે તો તેનો ઉપયોગ પેટ્રોલની કિંમત ઓછી કરવામાં થશે. પરંતુ હાલમાં તત્કાલ પ્રભાવથી તેની સંભાવના નથી.

સરકારે પેટ્રોલની વધતી કિંમતો પર વિપક્ષના આરોપને કાઉન્ટર કરવા માટે નીતિ પણ બનાવી છે. જે અંતર્ગત સરકાર સામાન્ય લોકો વચ્ચે પેટ્રોલ વિરુદ્ઘ અન્ય વસ્તુની કિંમતો સામે રાખીને કાઉન્ટર કરશે. તેમાં દાવો કરવામાં આવશે જે વસ્તુઓની કિંમત ઓછી કરવાની તાકાત તેમના હાથમાં હતી તેને સરકારે કરી દીધી છે. સરકારે મંત્રીઓને સમગ્ર દેશમાં પહેલા અને હવે દાળ અને અન્ય ખાદ્ય પદાર્થોની કિંમતની તુલના આક્રામક રીતે રજૂ કરવા કહ્યું છે. આ માટે સરકારે સમગ્ર દેશના આંકડા એકઠા કર્યા છે અને બધા મંત્રીઓ ઉપરાંત સીનિયર બીજેપી નેતાઓને આ આંકડાઓ સાથે પબ્લિક અને મીડિયા વચ્ચે જવા માટે કહ્યું છે.(૨૧.૩)

(9:33 am IST)