News of Monday, 15th August 2022
કર્ણાટકના શિવમોગામાં વીર સાવરકરનું પોસ્ટ લગાવાયા બાદ વિરોધ
નવી દિલ્હી તા. ૧પ :.. કર્ણાટકના શિવમોગામાં સ્વતંત્રતા દિવસે અમીર અહેમદ સર્કલમાં વીર સાવરકરનું પોસ્ટ લગાવવામાં આવ્યા બાદ વિવાદ સર્જાયો હતો. કેટલાક મુસ્લિમ યુવાનોએ હિંદુ સમર્થકો દ્વારા લગાવેલા પોસ્ટરોનો વિરોધ કર્યો હતો. પરિસ્થિતિને જોતા કર્ણાટકને પોલીસે શિવમોગા જિલ્લાના કેટલાક ભાગોમાં પ્રતિબંધિત આદેશો લાગુ કર્યા છે.
આવી જ એક ઘટનામાં સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના કાર્યકરોએ વાંધો ઉઠાવ્યા બાદ હિન્દુત્વના વિચારક સાવરકરને હટાવવામાં આવ્યા પછી મેંગલુરૃમાં સુરથકલ જંકશન પર એક બેનર મુકવામાં આવ્યું હતું.
(6:16 pm IST)