નરેન્દ્રભાઇ અત્યાર સુધીના ભારતના શ્રેષ્ઠ વડાપ્રધાનઃ સર્વે
નવી દિલ્હીઃ ભારતના મોટાભાગના લોકોનું માનવું છે કે, અત્યાર સુધીના શ્રેષ્ઠ પીએમ નરેન્દ્રભાઇ મોદી છે. તેઓની લોકપ્રિયતા એટલી વધી ગઇ છે કે તેમણે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી, અટલબિહારી વાજપેયી અને જવાહરલાલ નહેરૂને પણ પાછળ છોડી દીધા છે. ઇન્ડિયા ટુડે ગ્રુપ દ્વારા મૂડ ઓફ ધ નેશન ૨૦૧૯ સર્વે કરાયો છે. જેમાં જાણવા મળ્યું છે કે નરેન્દ્રભાઇ મોદી દેશના શ્રેષ્ઠ પીએમ બની ગયા છે. સર્વેમાં ૩૭ ટકા મતો સાથે મોદી ઘણા આગળ નીકળી ગયા છે. જ્યારે આર્યન લેડીના નામથી વિખ્યાત પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી બીજા સ્થાને છે. જોકે, તેમને ૧૪ ટકા મતો જ મળ્યા છે. આ ઉપરાંત ભાજપના સ્થાપક અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને ત્રીજા શ્રેષ્ઠ પીએમ તરીકે નામના મળી છે. તેમને ૧૧ ટકા મતો મળ્યા છે. સર્વેમાં મોટો ખુલાસો એ થયો છે કે ફક્ત નવા ટકા જ લોકો માને છે કે જવાહરલાલ નહેરૂ હજુ સુધી ભારતના સર્વરેષ્્ઠ પીએમ છે. લાલબહાદુર શાસ્ત્રી અને રાજીવ ગાંધીને માત્ર છ ટકા મનો મળ્યા છે જ્યારે મનમોહન સિંહ અને ગુલઝારી નંદાને પાંચ તથા ત્રણ ટકા મતો મળ્યા છે.
ફેબ્રુઆરી ૨૦૧૬માં ભારતના લોકોએ ત્યારે ઇન્દિરા ગાંધી દેશના સર્વશ્રેષ્ઠ પીએમ છે તેમ કહ્યું હતું અને તેમને ૨૬ ટકા મતો મળ્યા હતા જ્યારે આ સમયમાં પીએમ મોદીને ૧૪ ટકા જ મતો મળ્યા હતા. જોકે, ત્યાર બાદ તેમણે આ મોટી છલાંગ લગાવી છે.