મુખ્ય સમાચાર
News of Thursday, 15th August 2019

15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આ છે તફાવત, જાણો

આપણો રાષ્ટ્રધ્વજ શાન અને ગૌરવનું પ્રતિક માનવમાં આવે છે. દર વર્ષે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ ધ્વજવંદન કરવામાં આવે છે. પરંતુ 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ થતાં ધ્વજવંદનમાં ફરક શું હોય છે. વિષે આજે અમે તમને જણાવીશું.

15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી બંને દિવસે થતાં ધ્વજવંદનના ત્રણ તફાવત હોય છે.15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસે જે રાષ્ટ્રધ્વજને દંડ પર ઉપરની તરફ ખેંચીને બાદમાં ફરકાવવામાં આવે છે. જેને ધ્વજારોહણ કહે છે.

26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસે જે રાષ્ટ્રધ્વજ દંડ પર બાંધેલો હોય છે અને તેને ખોલીને ફરકાવાય છે. અંગ્રેજીમાં ધ્વજારોહણ માટે Flag Hoisting અને ધ્વજ ફરકાવવા માટે Flag Unfurling શબ્દ ઉપયોગ થાય છે.

15 ઓગસ્ટે આયોજિત થતા મુખ્ય કાર્યક્રમમાં દેશના પીએમ સામેલ થાય છે. પ્રસંગે પીએમ ધ્વજારોહણ કરે છે. જ્યારે 26 જાન્યુઆરીએ આયોજિત થતાં મુખ્ય કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ઝંડો ફરકાવે છે.સ્વતંત્રતા દિવસનો મુખ્ય કાર્યક્રમ લાલ કિલ્લા પર યોજાય છે. અને વડાપ્રધાન ધ્વજારોહણ કરે છે. લાલ કિલ્લા પરથી પીએમ પ્રજાને સંબોધિત કરે છે.

ગણતંત્ર દિવસે મુખ્ય કાર્યક્રમ રાજપથ પર આયોજિત થાય છે. ગણતંત્ર દિને રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે. વડાપ્રધાન દેશના રાજનીતિક પ્રમુખ છે જ્યારે રાષ્ટ્રપતિ બંધારણીય પ્રમુખ છે.

(11:10 am IST)