મુખ્ય સમાચાર
News of Thursday, 15th August 2019

યુ.એસ.માં મંગલ મંદિર, મેરીલેન્ડ મુકામે ૨૪ ઓગસ્ટ શનિવારે ''જન્માષ્ટમી'' ઉત્સવ ઉજવાશેઃ રાત્રિના ૯-વાગ્યાથી ભજનની રમઝટ બાદ રાત્રે ૧૨ કલાકે કૃષ્ણ જન્મ તથા નંદ મહોત્સવ

મેરીલેન્ડઃ યુ.એસ.માં મંગલ મંદિર, ૧૭૧૧૦, ન્યુ હેમ્પશાયર એવન્યુ, મેરીલેન્ડ મુકામે ૨૪ ઓગસ્ટ ૨૦૧૯, શનિવારના રોજ ''જન્માષ્ટમી'' ઉત્સવ ઉજવાશે.

ઉત્સવની ઉજવણી અંતર્ગત, રાત્રિના ૯-વાગ્યાથી ૧૦-૧૫ વાગ્યા દરમિયાન ગોપીબેન કટવાલાના ભજનનું આયોજન કરાયું છે. ૧૦-૧૫ થી ૧૦-૩૦ વાગ્યા દરમિયાન બાલગોકુલના બાળકોનો કાર્યક્રમ, બાદ રાત્રિના ૧૦-૩૦ થી ૧૨ વાગ્યા સુધી શ્રી મોતીભાઇ પટેલના ભજનનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે.

રાત્રે ૧૨ વાગ્યે કૃષ્ણ જન્મ તથા નંદ મહોત્સવ ઉજવાશે. વિશેષ માહિતી માટે કોન્ટેક નં.(૩૦૧)૪૨૧-૦૯૮૫ દ્વારા અથવા www.mangalmandir.com દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

(8:26 pm IST)