મુખ્ય સમાચાર
News of Wednesday, 15th July 2020

પાયલોટના વખાણ કરનાર સંજય ઝાને પણ કોંગ્રેસમાંથી હાંકી કઢાયા

લેખમાં પક્ષની આકરી ટીકા કરી હતી

જયપુર : કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ પ્રવકતા સંજયઝાને પક્ષ વિરોધી પ્રવૃતિઓ અને ગેરશિસ્તના આરોપ હેઠળ સસ્પેન્ડ કરી દેવાયા છે. પક્ષના મહારાષ્ટ્ર એકમે આ માહિતી આપી હતી.

ઝા એ એક અખબારમાં લેખ લખ્યો હતો જેમાં દેશના આ સૌથી જૂના રાજકીય પક્ષની ટીકા કરી હતી. તેના થોડા દિવસો પછી તેમને કોંગ્રેસમાં હાંકી કાઢ્યા છે. મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ બાબા સાહેબ થોરાટે એક વચનમાં કહ્યું કે ઝાને પક્ષ વિરોધી પ્રવૃતિઓ અને ગેરશિસ્તના આરોપમાં તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે.

(2:57 pm IST)