છત્તીસગઢમાં નક્સલીઓ સાથે અથડામણમાં બીએસએફના બે જવાન શહીદ :એક જવાન ઘાયલ
વહેલી સવારે કાંકેર જિલ્લામાં તલાશી અભિયાન વેળાએ નક્સલીઓએ જવાનો પર ફાયરિંગ કર્યું
છત્તીસગઢના કાંકેર જિલ્લામાં નક્સલીઓ સાથે થયેલી અથડામણમાં બીએસએફના બે જવાનો શહીદ થયા છે જ્યારે એક જવાન ઘાયલ થયો છે મળતી માહિતી મુજબ નક્સલીઓએ તલાશી અભિયાન પર નીકળેલાં જવાનો પર ફાયરિંગ કર્યું હતું અને ગોળી લાગવાથી બે જવાનોના મોત નિપજ્યાં હતા.
રવિવારે વહેલી સવારે લગભગ 3-45 કલાકે તલાશ અભિયાનમાં નીકળેલાં બીએસએફના જવાનો પર નક્સલીઓએ ફાયરિંગ કર્યું હતું આ વિસ્તાર પ્રતાપપુર પોલીસ સ્ટેશન અંતર્ગત આવે છે.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ શહીદ જવાન BSFની 175મી બટાલિયનના હતા. હુમલામાં ઘાયલ જવાનને રાયપુર લાવવા માટે MI-17 હેલીકોપ્ટરે ઉડાન ભરી હતી પરંતુ ખરાબ હવામાનને કારણે હેલીકોપ્ટરને અધવચ્ચેથી જ પરત ફરવું પડ્યું છે. ઘાયલ થયેલાં જવાનની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.