પ.બંગાળમાં ચૂંટણી બાદ પણ રાજનીતિ શરૂ
શુભેન્દુ અધિકારી પહોંચ્યા રાજ્યપાલને શરણે : બીજેપીના ૨૫ ધારાસભ્યો ગાયબ !
નવી દિલ્હી તા. ૧૫ : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી ખત્મ થયા પછી પણ રાજકીય લડાઇ સતત ચાલી રહી છે. હાલના સમયમાં સૌથી વધારે મુશ્કેલી ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં છે, જયાં નેતાઓ સતત સાથ છોડી રહ્યાં છે. આ બધા વચ્ચે પાછલા દિવસે પાર્ટીના નેતા શુભેન્દુ અધિકારીની આગેવાનીમાં પાર્ટીના સભ્યો રાજયપાલ જગદીશ ધનખડ સાથે મુલાકાત કરી અને રાજયમાં ચૂંટણી પછી થયેલી હિંસાનો મુદ્દો ઉઠાવ્યો. જોકે, આ મુલાકાત દરમિયાન બીજેપીના લગભગ બે ડઝન ધારાસભ્ય ગાયબ રહ્યાં, તે પછી અટકળો વધારે તેજ થઈ ગઈ છે.
વિધાનસબામાં બીજેપીના નેતા શુભેન્દુ અધિકારી સોમવારે ભારતીય જનતા પાર્ટીના ૫૦ ધારાસભ્યો સાથે રાજયપાલને મળ્યા હતા. તે સમયે પશ્ચિમ બંગાળ વિધાનસભાના ૨૫ ધારાસભ્ય શુભેન્દુ અધિકારીના આ શકિત પ્રદર્શનમાં સામેલ થયા નહતા.
જે ધારાસભ્ય શકિતપ્રદર્શનમાં પહોંચ્યા નથી તેમાંથી મોટાભાગના ઉત્ત્।ર બંગાળમાંથી આવે છે. તેથી અહીં પ્રશ્ન ઉભા થવા લાગ્યા છે કે, ગેરહાજર રહેલા ધારાસભ્ય ટીએમસીમાં સામેલ થવાની ઈચ્છા ધરાવે છે, કેમ કે પાછલા કેટલાક દિવસોથી અને ખાસ કરીને મુકુલ રોય ટીએમસીમાં સામેલ થયા પછી અટકળો વધી ગઈ છે કે બીજેપીના અનેક ધારાસભ્યો ટીએમસીમાં સામેલ થઈ શકે છે. જયારે આને લઈને શુભેન્દુ અધિકારીને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમને કહ્યું કે, આમાં બધા લોકોને બોલાવ્યા નહતા.