કરચોરીના કેસમાં નરેશ ગોયલની વિરૂદ્ધ સમન્સ
એન્ફોર્સમેન્ટ એજન્સી દ્વારા નોટિસ
નવી દિલ્હી, તા.૧૦ : આવક વેરા વિભાગે જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ સામે સમન્સ જારી કરી દીધું છે. કરચોરીના કેસમાં પુછપરછ માટે નરેશ ગોયલ સામે સમન્સ જારી કરવામાં આવ્યા બાદ હવે ઇડી દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ એજન્સી દ્વારા પ્રથમ વખત ગેરરીતિના મામલામાં સમન્સ જારી કરવામાં આવ્યા છે. વિભાગની તપાસ પાંખે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં એરલાઈનની મુંબઈ ઓફિસમાં તપાસ કરી હતી. એ ગાળા દરમિયાન મોટી સંખ્યામાં દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં તપાસ પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ મુલ્યાંકનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આઈટી વિભાગ દ્વારા આ તપાસનો સિલસિલો હજુ જારી રહી શકે છે. નરેશ ગોયલની જેટ એરવેઝની સેવા હાલમાં બંધ કરવામાં આવેલી છે. જેટ અને દુબઈ સ્થિત કંપનીઓ વચ્ચે ડિલિંગમાં ગેરરીતિ હતી.