ઝેરનું મારણ ઝેર ' : ડેન્ગ્યુ અને ઝિકા રોગ ફેલાવતા માદા મચ્છરોનો ખાત્મો બોલાવતા નર મચ્છરો તૈયાર કરાયા : આનુસંગિક વારસો ધરાવતા નર મચ્છરો અને રોગ ફેલાવતા માદા મચ્છરોના સમાગમથી માદા મચ્છરોનો નાશ થશે : અમેરિકાના ફ્લોરિડામાં બ્રિટીશ બાયોટેક કંપની ઓક્સિટેકે પ્રયોગ આગળ ધપાવ્યો
ફ્લોરિડા : ' ઝેરનું મારણ ઝેર ' કહેવત સાચી પાડતો પ્રયોગ અમેરિકાના ફ્લોરિડામાં હાથ ધરાયો છે. જે મુજબ બ્રિટીશ બાયોટેક કંપની ઓક્સિટેકે આનુસંગિક વારસો ધરાવતા નર મચ્છરો તૈયાર કર્યા છે. આનુસંગિક વારસો ધરાવતા આ નર મચ્છરો અને રોગ ફેલાવતા માદા મચ્છરોના સમાગમથી માદા મચ્છરોનો નાશ થશે .
જંતુ નિયંત્રણ માટે બાયોટેક કંપની ઓક્સિટેક દ્વારા એપ્રિલના અંતમાં ટોસ્ટર-કદના, ષટ્કોણ બોક્સમાં મૂકવામાં આવેલા નાના ઇંડા 12 મેના રોજ ઉડાન કરવા સક્ષમ થઇ ગયા હોવાનું જણાયું હતું. નર અમેરિકન મચ્છર રોગ ફેલાવતા માદા મચ્છર સાથે સમાગમ કરી માદા મચ્છરોનો ખાત્મો બોલાવવા લાયક થઇ ગયા હતા.
ફ્લોરિડામાં હવે મચ્છરો વિશિષ્ટ પુરૂષવાચી (વધારાની ફ્લફી) એન્ટેના લહેરાવતા હોય છે જે આનુવંશિક જીન્સ ધરાવે છે. જે માદા મચ્છરોના વિકાસને અવરોધે છે. કોઈ પણ માદા મચ્છરના લાર્વા પુખ્તાવસ્થા સુધી ટકી ન રહેવા જોઈએ . ઓક્સિટેંકના નિયમનકારી બાબતોના વડા મોલેક્યુલર બાયોલોજિસ્ટ નાથન રોઝના કહેવા મુજબ છૂટેલા નર મચ્છરો રોગ ફેલાવતા માદા મચ્છરો સાથે સમાગમ કરી તેનો નાશ કરશે.
આ માટે પ્રથમ આનુવંશિક રીતે સુધારેલા મચ્છરો કે જેને યુનાઇટેડ સ્ટેટ્સમાં ઘરની બહાર ઉડાનની મંજૂરી આપવામાં આવશે . જેઓ ફ્લોરિડા કીઝમાં સમાગમ માટેની વય સુધી પહોંચ્યા છે. જે કોઈપણ રસાયણોનો છંટકાવ કર્યા વિના રોગ ફેલાવતા માદા મચ્છરોનો નાશ કરશે.
પરંતુ ફ્યુચરિઝમ દ્વારા અગાઉ અહેવાલ મુજબ, પ્રયોગ વિવાદમાં ડૂબી રહ્યો છે, કારણ કે ફ્લોરિડા કીઝના સ્થાનિકો, પર્યાવરણીય કાર્યકરો અને વૈજ્ઞાનિક નિષ્ણાતોની દલીલ છે કે ઓક્સિટેકે ક્યારેય પૂરતું પૂરવાર કર્યું નથી કે તેમનો પ્રયોગ કાર્ય કરશે અથવા ટાપુ સમુદાયના લોકોને નુકસાન પહોંચાડશે નહીં.
જોકે આનુવંશિક મચ્છરોની પ્રથમ બેચ મેદાનમાં ઉતરી ગઈ છે, તેથી હવે લાગે છે કે ફ્લોરિડા કીઝના રહેવાસીઓ માટે થોભો અને રાહ જુઓ વિકલ્પ રહે છે.તેવું ધ.બી.દ્વારા જાણવા મળે છે.