મુખ્ય સમાચાર
News of Wednesday, 15th May 2019

ગૌહાત્તીમાં ઝૂ રોડના સેન્ટ્રલ મોલની બહાર ગ્રેનેડ ફેંકાયો : વિસ્ફોટમાં 6 લોકો ઘાયલ :સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી

શંકાસ્પદ આતંકીઓએ મોલની બહાર વિસ્ફોટ કર્યો.

ગુવાહાટીમાં ઝૂ રોડ પર આવેલા સેન્ટ્રલ મોલની બહાર ગ્રેનેડ ફેંકીને વિસ્ફોટ કરાયો હોવાના અહેવાલ છે. આ વિસ્ફોટમાં 6 લોકો ઘાયલ થયા છે. વિસ્તારની ઘેરાબંધી કરાઈ છે. શંકાસ્પદ આતંકીઓએ મોલની બહાર વિસ્ફોટ કર્યો. ઘાયલોને ગુવાહાટી મેડિકલ કોલેજમાં ખસેડાયા છે. 

વિસ્તારમાં ભારે પ્રમાણમાં સુરક્ષાદળોને તહેનાત કરાયા છે. ગુવાહાટી પોલીસ કમિશ્નર દીપકકુમારે જણાવ્યું કે, 'રાતે આઠ વાગ્યાની આસપાસ એક ગ્રેનેડ હુમલામાં છ લોકો ઘાયલ થયા છે. આ મામલે તપાસ ચાલુ છે.

(9:26 pm IST)