મુખ્ય સમાચાર
News of Wednesday, 15th May 2019

ભારે બરફવર્ષા- વરસાદના કારણે

કેદારનાથ યાત્રા રોકી દેવાઈઃ ભાવિકોે સોનપ્રાયગ- ગૌરીકુંડ ખાતે ફસાયા

ઉત્તરાખંડમાં હવામાન ખરાબ હોવાથી તંત્રએ કેદારનાથ યાત્રા રોકી દીધી છે. મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓને સોનપ્રાયગ અને ગૌરીકુંડ ખાતે રોકી દેવામાં આવ્યા છે. જયારે બદ્રીનાથ ધામમાં કટકે- કટકે વરસાદ વરસી રહ્યો છે. ભાવિકોને હોટલમાં જ રહેવા તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે. કેદારનાથમાં છેલ્લા ૨૪ કલાકમાં થયેલ વરસાદ- બરફવર્ષાથી રસ્તાઓ લપસણા થઈ ગયા છે. હવામાન ખરાબ હોવાથી હેલીકોપ્ટર સેવા પણ ખોરવાઈ છે. વાતાવરણમાં વરસાદ અને બરફ પડવાથી ઠંડી વધી ગઈ છે.

(3:42 pm IST)