પોતાના પિતા માટે કોઇની સાથે પણ લડશે : સાયના
સાયના નેહવાલે પોતાનો અભિપ્રાય આપ્યો : બધી વ્યવસ્થા કરાઈ છે તેમ કહી કોઇ વ્યવસ્થા કરવામાં આવી ન હતી : ખરાબ વર્તનને લઇને નેહવાલની પ્રતિક્રિયા
નવીદિલ્હી, તા. ૧૫ : સાયના નેહવાલે આજે કહ્યું હતું કે, તેને કોમનવેલ્થ ગેમ્સ પહેલા ખેલ ગામમાં રોકાવવાને લઇને પોતાના પિતા માટે અવાજ ઉઠાવવા સંદર્ભે કોઇ દુખ નથી. એ વખતે સાયનાએ સિંગલ્સ અને ટીમ સ્પર્ધાથી હટવાની પણ ધમકી આપી દીધી હતી. સાયનાએ આજે પોતાની સાથી ખેલાડી અને પ્રથમ ક્રમાંકિત પીવી સંધુને હાર આપ્યા બાદ કહ્યું હતું કે, તેને પોતાના પિતા માટે કોઇની સાથે પણ સંઘર્ષ કરવામાં ઘભરાતી નથી. લોકોનું કહેવું છે કે તેના દ્વારા ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. સાયનાએ એમ પણ કહ્યું હતું કે, તેના પિતાને ખેલ ગામમાં પ્રવેશ કરવાની મંજુરી આપવામાં આવી ન હતી. સાયનાએ એમ પણ કહ્યું હતું કે, તેને એમ કહેવામાં આવ્યું હતું કે, તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે પરંતુ હકીકતમાં કોઇ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. તેને આ અંગે માહિતી રહી હોત તો હોટલમાં રુમ બુક કરાવવાને લઇને કોઇ તકલીફ ન હતી. તેમને પ્રાઇવેટ કોચનો માન્યતા પત્ર પણ મળ્યો હતો. સાયનાનું કહેવું છે.