News of Friday, 15th March 2019
અમેરિકાના ઇમિગ્રેશન સેન્ટરમાં રાખવામાં આવેલા 2 ભારતીયોને દેશનિકાલ કરાયા : સેન્ટરમાં માનવીય સુવિધાઓના અભાવને કારણે ભૂખ હડતાલ ઉપર ઉતર્યા હતા
અલ પાસો : અમેરિકાના ઇમિગ્રેશન સેન્ટરમાં રાખવામાં આવેલા 2 ભારતીયોને દેશનિકાલ કરી દેવાયા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.આ સેન્ટરમાં માનવીય સુવિધાઓના અભાવને કારણે તેઓ ભૂખ હડતાલ ઉપર ઉતર્યા હતા જેથી તેમને જબરજસ્તી નળી વાતે પ્રવાહી રૂપમાં ખોરાક આપવાની કોશિશ થઇ હતી
ઉલ્લેખનીય છે કે અમેરિકાના જુદા જુદા સ્ટેટમાં આવેલા ઇમિગ્રેશન સેન્ટર્સમાં રાખવામાં આવેલા જુદા જુદા દેશોના ગેરકાયદે વસાહતીઓને માનવીય સુવિધાઓ પણ અપાતી ન હોવા બદલ અનેક ઇન્ડિયન અમેરિકન સમૂહોએ દેખાવો કરેલા છે.આ સેન્ટર્સમાં ભીડ અને સ્વચ્છતાના અભાવે વસાહતીઓ રોગચાળાનો પણ ભોગ બનતા હોવાનું જાણવા મળે છે.
(7:36 pm IST)