EVM - VVPAT કેસ
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને ફટકારી નોટીસઃ ૨૫ માર્ચ સુધીમાં જવાબ આપવાનો આદેશ
નવી દિલ્હી તા. ૧૫ : આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન.ચંદ્રબાબપુ નાયડુના નેતૃત્વમાં ૨૧ વિપક્ષી દળો તરફથી ઇવીએમ અંગે દાખલ કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટે ચુંટણીપંચ અને કેન્દ્ર સરકારને નોટીસ ફટકારી છે. કોર્ટે બંનેને ૨૫ માર્ચ સુધી તેમનો જવાબ આપવા માટે કહ્યું છે. અરજીમાં સુપ્રીમ કોર્ટ પાસેથી માંગ કરવામાં આવી છે કે તે ચુંટણી પંચને આદેશ આપે કે કાઉન્ટિંગ દરમિયાન ઓછામાં ઓછા ૫૦ ટકા વીવીપેટ પેપરની તપાસ કરવામાં આવે.
સીજેઆઇ રંજન ગોગોઇની નેતૃત્વવાળી બેંચે ચુંટણી પંચને એ પણ કહ્યું કે, તે આ મામલે કોર્ટના સહયોગ માટે કોઇ વરિષ્ઠ અધિકારીને તૈનાત કરે. આ મામલાની વધુ સુનાવણી ૨૫ માર્ચે થશે.
ઉલ્લેખનીય છે કે, વિપક્ષી દળ ઇવીએમ પર સવાલ ઉઠાવી રહ્યા છે. તેની માંગ છે કે ચુંટણીના પરિણામોને ઘોષિત કર્યા પહેલા વીવીપેટ પેપરનું ઇવીએમમાં રહેલ મત સાથે સરખામણી કરવામાં આવે. તેના માટે ચંદ્રબાબુ નાયડુ, અખિલેશ યાદવ, કે.સી.વેણુગોપાલ, શરદ પવાર, અરવિંદ કેજરીવાલ, સતીશચંદ્ર સહિત વિપક્ષના ૨૧ નેતાઓએ સુપ્રીમ કોર્ટના દ્વારે પહોંચ્યા.
વિપક્ષી નેતાઓએ ચુંટણી પંચના એ દિશા નિર્દેશને પકડાર્યો. જેમાં પ્રતિ વિધાનસભા ક્ષેત્રની કોઇ એક પોલિંગ સ્ટેશનના વીવીપેટ કાઉન્ટને અનિવાર્ય કરવામાં આવી છે. અરજીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, ચુંટણી પંચ આ પ્રકારે કુલ ઇવીએમના ૫૫ ટકાથી પણ ઓછા વીવીપેટની સરખામણી થશે.
અરજીમાં ૨૦૧૭માં બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીની અરજી પર સુપ્રીમ કોર્ટ એક નિર્ણયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં કોર્ટે ચુંટણી પંચને દરેક ઇવીએમમાં વીવીપેટ લગાવાના આદેશ આપ્યો હતો.