મુખ્ય સમાચાર
News of Saturday, 15th January 2022

બિહારમાં નાલંદામાં ઝેરી દારૂ પીવાથી આઠ લોકોના મોત

સ્થાનિક લોકોએ દાવો કર્યો કે લગભગ ૩૦થી ૪૦ લોકોએ એ ઝેરી દારૂનું સેવન કર્યું

બિહારના નાલંદામાં ઝેરી દારૂ પીવાથી આઠનાં મોત થયા છે. મૃત્યુ આંક હજુ પણ વધે તેવી શક્યતા છે. સ્થાનિક લોકોએ દાવો કર્યો હતો કે લગભગ ૩૦થી ૪૦ લોકોએ એ ઝેરી દારૂનું સેવન કર્યું હતું. પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે તેમને ભેળસેળવાળો દારૂ આપી દેવામાં આવ્યો હતો. કેટલાક લોકોને આંખોમાં દેખાતું બંધ થઈ ગયાનું કહેવાય છે. એમાંથી ઘણાંની સારવાર ખાનગી હોસ્પિટલોમાં ચાલી રહી છે.

સ્થાનિક લોકોએ તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે ત્રણ લોકોનાં આ જ ઝેરી દારૂ પીવાથી મોત થયા છે. એ રીતે મૃત્યુ આંક ૧૧ હોવાની અટકળો પણ થઈ રહી છે. સ્થાનિક સરકારી તંત્રએ આ ઘટનાની તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન વિદેશી દારૂની બોટલો અને દેશી દારૂનો જથ્થો સહિતની સામગ્રી જપ્ત થઈ હતી.

(12:57 am IST)