ગણતંત્ર દિવસ પૂર્વે દેશને ધણધણાવવાના ષડયંત્રનો પર્દાફાશ
દિલ્હીની એક બજારમાંથી લાવારિસ બેગ મળીઃ હતાં બોંબઃ અમૃતસરમાંથી ૫ કિલો RDX મળ્યુ
નવી દિલ્હી,તા. ૧૫ : ગણતંત્ર દિવસ પહેલા રાજધાની દિલ્હી, બોર્ડરના રાજ્યો પંજાબ અને જમ્મુ- કાશ્મીરને હચમચાવવાનું આતંકવાદી ષડયંત્ર નિષ્ફળ કરી દેવાયું છે. દિલ્હીના ગાઝીપુરની ફુલમંડીમાં એક લાવારીસ બેગમાં આઇઇડી મળ્યુ જેને નિષ્ક્રીય કરી દેવાયુ હતું. પાકિસ્તાનની બોર્ડર નજીકના પંજાબના અમૃતસરમાં પાંચ કીલો આરડીએકસ મળી આવ્યુ છે. આશંકા વ્યકત કરાઇ રહી છે કે આઇએસઆઇ અને ખાલિસ્તાની આતંકવાદીઓએ ચૂંટણી દરમ્યાન ખ્વાજા બજારમાં સામાન્ય લોકોને નિશાન બનાવવા માટે બોરીમાં છૂપાવાયેલ પેશર કૂકર આઇઇડી મળી આવ્યુ છે. જેને પણ નિષ્ક્રીય કરી દેવાયું હતું.
દિલ્હીની ફુલમંડીમાં બિનવારસુ બેગ મળ્યાની સુચના મળતા જ તરત મંડીને ખાલી કરાવવામાં આવી હતી. પોલીસ કર્મીઓએ બેગ ખોલી તો આઇઇડી હોવાની આશંકા થઇ. એનએસજીની દેખરેખમાં રોબોટ દ્જારા તેમેન ઉઠાવીને એક મશીનમાં નાખવામાં આવ્યું અને પાર્કિંગ પાસે ખાડો ખોદીને તેને નષ્ટ કરી દેવાયો. આ દરમ્યાન થયેલ ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસ ઉપસ્થિત લોકો પણ ડરી ગયા હતા. પોલીસ કર્મીઓએ જણાવ્યુ કે આઇઇડી લગભગ બે કિલો હતું.
પંજાબમાં સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ વિધાનસભા ચૂંટણી દરમ્યાન ધડાકાઓ કરવાના આઇએસઆઇ અને પાકિસ્તાની આતંકવાદીઓના માટે ષડયંત્રને બે નકાબ કરી દીધુ છે. એસટીએફએ પુછપરછ માટે ત્રણ સંદિગ્ધ યુવકોની ધરપકડ કરી છે.
શ્રીનગરમાં મળેલ આઇઇડીનો જો ધડાકો થયો હોત તો બહુ મોટું નુકશાન થાત. જણાવ્યુ છે કે ખ્વાજાબજારમાં કેટલાક લોકોએ એક જગ્યાએ પ્રેશરકૂકરને બિનવારસુ પડેલ જોયુ તો પોલીસને જાણ કરી. પોલીસનું કહેવું છે કે, પ્રેશર કૂકરમાં એક ગ્રેનેડ હતો. આ જગ્યાએથી પોલીસ અને સીઆરપીએફના જવાનો પણ અવારનવાર પસાર થતા હોય છે.