મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

બાબા રામદેવે કહ્યું -દીપિકા પાદુકોણે મારા જેવો સલાહકાર રાખવો જોઇએ

સામાજિક, રાજનીતિક અને સાંસ્કૃતિક મુદ્દાઓની યોગ્ય સમજ મેળવવી જોઈએ

નવી દિલ્હી : જેએનયુમાં હિંસા બાદ વિદ્યાર્થીઓના પ્રદર્શનને સમર્થન કરવા માટે બોલિવુડની અભિનેત્રી દીપિકા પાદુકોણ પહોંચી હતી. જોકે આ પછી દીપિકાને સોશ્યલ મીડિયા પર ખૂબ જ ખરાબ રીતે ટ્રોલ કરાઈ હતી અને છપાક ફિલ્મના બહિષ્કાર કરવા આહવાન કરાયું હતું તે પછી નેતાઓ હોય કે પછી કાર્યકર્તાઓ. પોતપોતાના નિવેદન આપી રહ્યાં છે ત્યારે હવે યોગ ગુરુ બાબા રામદેવે પણ દીપિકાને સલાહ આપી છે.

 પત્રકારો સાથે વાતચીત દરમિયાન બાબા રામદેવે કહ્યુ હતુ કે, ''સામાજિક, રાજનીતિક અને સાંસ્કૃતિક મુદ્દાઓની યોગ્ય સમજ મેળવવા માટે દીપિકા પાદુકોણે મારા જેવો કોઇ સલાહકાર રાખવો જોઇએ

 બાબા રામદેવે વધુમાં કહ્યુ કે, ''અભિયનની દ્રષ્ટિની જોઇએ તો દીપિકા કુશળ છે, પરંતુ સામાજિક, રાજનીતિક અને સાંસ્કૃતિ મુદ્દાઓનુ જ્ઞાન મેળવવા બાદ જ તેણે નિર્ણય લેવા જોઇએ. તેણે આ માટે સ્વામી રામદેવે એટલે કે મારા જેવા કોઇ સલાહકાર રાખી લેવો જોઇએ.

(10:47 pm IST)