મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

કાશ્મીરમાં ભારે બરફવર્ષાને કારણે એલઓસી પર ભયંકર તબાહીઃ અનેક ચેકપોસ્ટ બરફમાં દબાઈઃ સંપર્કો તૂટયા

શ્રીનગર, તા. ૧૫ :. છેલ્લા થોડા દિવસોથી કાશ્મીરમાં થઈ રહેલ ભારે બરફવર્ષાને કારણે એલઓસીના અનેક વિસ્તારોમાં ભયાનક તબાહી મચી ગઈ છે. ૩ દિવસમાં બરફના તોફાનના કારણે ૧૨ લોકોના મોત થયા છે.

બરફના કારણે અનેક ચેકપોસ્ટ બરફમાં દબાઈ ગઈ છે, જ્યારે સંપર્કો પણ તૂટયા છે. આ ઉપરાંત સરહદ ઉપર લગાવવામાં આવેલ તારને પણ નુકશાન થયુ છે.

ભારતીય સેના બરફવર્ષા વચ્ચે પણ પોતાની ફરજ બજાવે છે અને કોઈપણ જોખમ લેવા તૈયાર નથી.

(4:13 pm IST)