મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

જમ્મુ-કાશ્મીરના એલઓસી રેખા નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની અવરજવરમાં ભારે મુશ્કેલી

શ્રીનગર, તા. ૧૫ :. જમ્મુ-કાશ્મીરમાં એલઓસી રેખા નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રીના અંધારામાં તો ઠીક પણ દિવસના અજવાળામાં અવરજવર પર ભારે મુશ્કેલી સર્જાય રહી છે. ખેતરોમાં જવા માટે ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. આવુ લોકો પોતાની મરજીથી નહિ પરંતુ પાકિસ્તાની સેનાના ગોળીબારથી ગભરાઈને કરવા મજબૂર થઈ રહ્યા છે. આ વિસ્તારના અનેક બાળકો પણ પાકિસ્તાની ગોળીબારનો શિકાર બન્યા છે. થોડા દિવસ પહેલા રાજોરી જિલ્લાના મેઢર વિસ્તારમાં એક મૃત વ્યકિતના શરીર પર પણ પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો.

(4:13 pm IST)