મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

પ્રયાગરાજમાં ભાવિકોનું ત્રિવેણીમાં પવિત્ર સ્નાન

મકરસંક્રાંતના પાવન પર્વે સૂર્ય મકરમાં પ્રવેશ કરે છે. આ પર્વમાં ત્રિવેણીએ સ્નાન અને દાનનું માહત્મ્ય ખુબ જ છે. ઉત્તરાયણની સાથે જ શુભ કાર્યોની શરૂઆત થાય છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પણ ગંગા, જમુના અને સરસ્વતિનું સંગમ સ્થાન છે. જયાં આજે સવારથી જ ભાવિકોનો પ્રવાહ ઉમટી પડેલ. બ્રહ્મ મુર્હતથી જ શ્રધ્ધાળુઓ સ્નાન માટે આવવા લાગ્યા હતા. તંત્ર દ્વારા પણ પુરતી તૈયારીઓ કરી લેવામાં આવેલ. ૨૦૦ સીસીટીવી કેમેરા અને ૫ હજાર જેટલા પોલીસ જવાનોનો બંદોબસ્ત કરવામાં આવેલ.

(3:47 pm IST)