મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

વેપારીઓના વિરોધ વચ્ચે ભારત પહોંચ્યા એમેઝોનના પ્રમુખ જેફ બેઝોસ, ગાંધીજીને આપી શ્રદ્ઘાંજલિ

'મેં એ શખ્સને શ્રદ્ઘાંજલિ આપી જેણે દુનિયા બદલી નાંખી'

નવી દિલ્હી, તા.૧૫: એમેઝોનના સીઈઓ જેફ બેઝોસ ભારત પહોંચી ચૂકયા છે. ભારત પહોંચ્યા પછી તેમણે એક વીડિયો ટ્વીટ કર્યો છે. તેમાં તે મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રદ્ઘાંજલિ આપતા જોવા મળે છે. આ વીડિયો સાથે જેફ બેઝોસે લખ્યું છે કે બપોરનો સમય તેમના માટે શાનદાર હતો. બેઝોસે કહ્યું, 'મેં એ શખ્સને શ્રદ્ઘાંજલિ આપી જેણે દુનિયા બદલી નાંખી.' સાથે બેઝોસે મહાત્મા ગાંધીનો એક કવોટ લખ્યો ઙ્કજીવો તો એવી રીતે કે કાલે મરવાના છો અને શીખો તો એવી રીતે કે હંમેશા જીવવાના હોવ.ઙ્ખ

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાંક દિવસથી રિટેલ વેપારીઓનું સંગઠન ઘ્ખ્ત્વ્ બેઝોસનો વિરોધ કરી રહ્યું છે. તેમણે એક સ્ટેટમેન્ટ જાહેર કરતા કહ્યું હતું કે તે એમેઝોનના બોસનો વિરોધ કરશે. ઘ્ખ્ત્વ્હ્ય્ કહ્યું કે તેમના બેનર હેઠળ આઙ્ખલ ઈન્ડિયા મોબાઈલ રિટેલર્સ એસોસિયેશન, ઓલ ઈન્ડિયા કન્ઝયુમર પ્રોડકટ્સ ડિસ્ટ્રિબ્યુટર્સ ફેડરેશન સહિત બીજા વેપારી સંગઠનો બેઝોસનો વિરોધ કરશે.

બેઝોસે ભારતની મુલાકાત એવા સમયે લીધી છે જયારે એમેઝોન માટે ભારતમાં ચઢાણ થોડા કપરા બન્યા છે. પ્રતિસ્પર્ધા પર નજર રાખતી ઘ્ઘ્ત્ (કોમ્પિટિશન કમિશન આઙ્ખફ ઈન્ડિયા)એ ચીજો પર ભારે છૂટ અને મનપસંદ વેપારીઓ સાથે સાંઠગાંઠ સહિત બીજી ગરબડના આરોપમાં ફ્લિપકાર્ટ અને એમેઝોન વિરુદ્ઘ સોમવારે તપાસનો આદેશ આપ્યો હતો. આ મામલો કોમ્પિટિશનના કાયદાના કથિત ઉલ્લંદ્યન સાથે જોડાયેલો છે. દિલ્હી વેપાર મહાસંદ્યે કરેલી ફરિયાદ બાદ આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ભારતના રિટેલ વેપારીઓ અને મોબાઈલ વિક્રેતાઓ દ્વારા એમેઝોનનો સમયાંતરે વિરોધ કરવામાં આવી જ રહ્યો છે. તેમનું કહેવું છે કે એમેઝોન દ્વારા ગ્રાહકોને અપાતા ભારે ડિસ્કાઉન્ટને કારણે તેમનો ધંધો પડી ભાંગ્યો છે અને તેમને વેપારમાં લેવલ પ્લેયિંગ ફિલ્ડ નથી મળતું. આવામાં જેફ બેઝોસની ભારતની મુલાકાત ખાસ્સી સૂચક રહેશે તેવું જણાઈ રહ્યું છે.

(1:04 pm IST)