મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

આતંકીઓની હેરાફેરી માટે ૧૨ લાખ કટકટાવતો

આતંકીઓને આશ્રય આપનાર ડીએસપી બરતરફઃ મેડલ છીનવાશે-૧૮

શ્રીનગરઃ જમ્મૂ-કાશ્મીરમાં આતંકીઓની સાથે ઝડપાયેલ ડીએસપી દેવિન્દર સિંહને પદ પરથી બરતરફ કરી દેવામાં આવ્યા છે. બરતરફ ડીએસપી દેવિન્દર સિંહ પર આરોપ છે કે તેણે શ્રીનગરના બાદામી બાગ કૈન્ટોન્મેન્ટની બાજુમાં આવેલા પોતાના દ્યરમાં આતંકીઓને આશરો આપ્યો અને જમ્મૂ જવાની વ્યવસ્થા પણ કરી હતી.

 સુરક્ષા એજન્સીઓને તપાસમાં જાણવા મળ્યું છે કે ડીએસપી આતંકીઓને જમ્મૂ લઈ જવા માટે ૧૨ લાખ રૂપિયા લેતો હતો. પદ પરથી બરતરફ કરવાની કાર્યવાહી બાદ એજન્સીઓ ડીએસપી દેવિન્દરની શ્રીનગર એરપોર્ટ સ્થિત ઓફિસને સીલ થશે. વીરતા મેડલ પણ છીનવાશે.

(12:03 pm IST)