અર્થતંત્રમાં તેજી લાવવાનું બનશે અઘરૂંઃ પ ટકાના વિકાસદર તથા બેકાબુ મોંઘવારીએ ચિંતા વધારી
મોંઘવારીએ સરકારનાં ઇરાદાઓ ઉપર પાણી ફેરવ્યુ
નવી દિલ્હી તા. ૧પ :.. દેશની આર્થિક વૃધ્ધિની ધીમી ઝડપ વચ્ચે છૂટક પછી હવે જથ્થાબંધ મોંઘવારી દરમાં આવેલ મોટા ઉછાળાથી સરકારની મુશ્કેલીઓ વધી શકે છે. નાણાંકીય નિષ્ણાતોનું કહેવું છે કે મોંઘવારી બેકાબુ થવાથી અર્થ વ્યવસ્થાની ધીમી ઝડપને તેજ કરવી વધારે પડકારૂપ બની ગયું છે.
અર્થશાસ્ત્રી અરૂણકુમારે જણાવ્યું કે મોંઘવારીમાં અસમાન ઉછાળાની સીધી અસર સામાય લોકોના વપરાશ પર થશે કેમ કે તેમના ઘરનું બજેટ વધશે. તે લોકો તેની ભરપાઇ વપરાશમાં ઘટાડો કરીને કરશે. આના લીધે બજારમાં માંગ વધારે ઘટશે, જયારે સરકાર અર્થ વ્યવસ્થામાં તેજી લાવવા માટે માંગ વધારવા પર ભાર મુકી રહી છે પણ હવે તેમ કરવુ વધારે મુશ્કેલ થશે કેમ કે મોંઘવારીના લીધે લોકોની બચત ઘટશે. આર્થિક મંદીમાં બજારમાં ઉત્સાહનું વાતાવરણ નથી. નોકરીની નવી તકોમાં ઘટાડો અને પગાર વધારા બાબતે અનિશ્ચીતતાનું વાતાવરણ સરકારા માર્ગના મોટા રોડા છે. તેમાંથી બહાર આવવા માટે સરકારે પહેલા કરવા વધારે જોર લગાડવું પડશે.
આ વિકટ સ્થિતીમાંથી બહાર નિકળવા માટે ગ્રામ્ય અર્થ વ્યવસ્થામાં પ્રાણ ફુંકવા પડશે. મનરેગા, આરોગ્ય, શિક્ષણ અને ઇન્ફ્રાનું બજેટ વધારવું પડશે. ત્યાર પછી જ સુધારાની આશા રાખી શકાય. જો આવું નહી કરાય તો આપણે ગતિહીન મોંઘવારીની પરિસ્થિતીમાં જઇ શકીએ છીએ જયાં આર્થિક વૃધ્ધિ નબળી હોવાની સાથે મોંઘવારી દર ઉંચો હોય છે.
નાણા પ્રધાન નિર્મલા સીતારમણ માટે આભને આંબતી મોંઘવારી અને સુસ્ત અર્થ વ્યવસ્થા વચ્ચે સંતુલિત બજેટ રજૂ કરવું અઘરૂ બનવાનું છે. નાણાકીય નિષ્ણાંતોનું કહેવું છે કે નાણાપ્રધાન બજેટમાં ખર્ચ વધારવા પર ભાર મુકી શકે છે પણ હવે વધતી મોંઘવારીના કારણે નાણાપ્રધાને આમાં સાવધ રહેવું પડશે. વધારે ખર્ચ અને રોકાણથી લોકોના ખિસ્સામાં વધારે પૈસા પહોંચશે તો મોંઘવારી વધારે વધવાની આશંકા રહે છે.