મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

આ વર્ષે સાંઘાઈ સંમેલન યોજશે ભારતઃ ઈમરાનને અપાશે આમંત્રણ

નવી દિલ્હી, તા. ૧૫ :. જો બધુ ઠીકઠાક રહ્યુ તો પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ભારતની મુલાકાતે આવી શકે છે. ભારત સાંઘાઈ સહયોગ સંગઠનનું આયોજન કરી રહ્યુ છે જેની બેઠકમાં હાજર રહેવા ઈમરાન ખાનને આમંત્રણ અપાશે. ભારત આ વખતે યજમાન બન્યુ છે.

જો કે ઈમરાન ખાન આ બેઠકમાં ભાગ લેશે કે નહિ ? તેનો નિર્ણય પાકિસ્તાને લેવાનો છે. આ વર્ષના અંત સુધીમાં આ બેઠક યોજાશે. પ્રોટોકોલ અને સંમેલન અનુસાર ઈમરાનને આમંત્રણ અપાશે. ભારત પહેલીવાર સાંઘાઈ બેઠકનું યજમાન બની રહ્યુ છે.(૨-૨)

 

(10:00 am IST)