મુંબઈમાં ભારત-ઓસ્ટ્રેલિયા વનડે મેચમાં CAAનો વિરોધ: ટી-શર્ટ પર લખ્યા નારા
રોધની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવી.
મુંબઈમાં આજે ભારત અને ઑસ્ટ્રેલિયાની વચ્ચે થઈ રહેલી મેચ દરમિયાન જ કેટલાક દર્શકોએ નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ પ્રદર્શન કર્યું. આ લોકોએ પ્રસિદ્ધ વાનખેડે સ્ટેડિયમનાં પેવિલિયનમાં સીએએ અને એનપીઆરનાં વિરોધમાં ટી-શર્ટ પહેરીને સરકારનાં નિર્ણયનો વિરોધ કર્યો. આ વિરોધની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવી. આ પ્રદર્શન તે સમયે થયું જ્યારે વાનખેડે સ્ટેડિયમમાં ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયાની સાથે એકદિવસીય મેચ રમી રહી છે.
વિરોધ કરનારા આ દર્શકોએ કહ્યું કે, 'અમને ફક્ત એ વાતનો અફસોસ છે કે પ્રદર્શનો દરમિયાન નરેન્દ્ર મોદીએ એકપણ વાર વિદ્યાર્થીઓ સાથે વાત નથી કરી. અમે પોતાના પીએમ સાથે વાત નથી કરી શકતા. અમે એ માટે જ વિરોધ કરવા ગયા કે પીએમ નરેન્દ્ર મોદી અમારી સાથે વાત કરે. પીએમ નરેન્દ્ર મોદી મોટા લોકોને બોલાવે છે તો પછી વિદ્યાર્થીઓ સાથે શું નારાજગી છે?'