News of Saturday, 14th December 2019
સાવરકર અંગેના નિવેદનથી રાજકારણ ગરમાયુ: ઉદ્ધવ ઠાકરે કરશે કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે ચર્ચા
શિવસેના પ્રમુખ અને સીએમએ રાહુલ ગાંધીના નિવેદનથી નારાજગી વ્યક્ત કરી
મુંબઈ : સાવરકર અંગેના રાહુલ ગાંધીના નિવેદન ઉપર રાજકારણ ગરમાયું છે.મળતી વિગત મુજબ રાહુલ ગાંધીના નિવેદન બાદ શિવસેના પ્રમુખ અને સીએમ ઉદ્ધવ ઠાકરેએ પણ નારાજગી વ્યક્ત કરી છે .
સુત્રોના જણાવ્યા પ્રમાણે, રાહુલના નિવેદનને લઈને ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે વાત કરશે. આ પહેલા શિવસેના નેતા સંજય રાઉતે પણ ટ્વીટ કરીને સાવરકરના સંમાનની વાત કરી ચુક્યા છે.
(10:32 pm IST)