News of Saturday, 14th December 2019
ઇમરાન ખાનના ભત્રીજાને ઝડપી લેવા દરોડા
લાહોર હાર્ટ હોસ્પિટલ ઉપર વકીલોના હુમલામાં પાંચ દર્દીઓના મોત થયા છે તે બનાવમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાન નિયાઝીના સગા ભત્રીજા હસન નિયાઝીની ધરપકડ માટે તેના નિવાસસ્થાને દરોડા પડવાંમાં આવ્યા છે ,જોકે હસન દ્યેર મળી આવ્યો નથી.
ઇમરાનખાને વકીલોના હુમલા અંગે ગંભીર નોંધ લઈને વિગતો માંગી છે હોસ્પિટલમાં સેંકડો કાળા કોટ પહેરેલા વકીલો ઘુસી ગયા હતા અને કાળોકેર વર્તાવી અનેક દર્દીઓના ઓકસીઝન પાઇપો ખેંચી લીધા હતા, તોડફોડ અને આગજની કરી હતી અનેક પેશન્ટ સિરિયસ છે.
(1:33 pm IST)