વડાપ્રધાન મોદી દ્વારા નમામિ ગંગે પ્રોજેક્ટની સમીક્ષા : કાઉન્સિલની મહત્વની બેઠકમાં નીતીશકુમાર ગેરહાજર
નીતિશકુમારે છેલ્લી ઘડીએ તેમનો કાનપુર પ્રવાસ રદ્દ કરી દીધો
કાનપુર :વડાપ્રધાન મોદી તેમના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ નમામિ ગંગેની સમીક્ષા માટે કાનપુર પહોંચ્યા હતા ગંગાને પ્રદૂષણમુક્ત અને નિર્મળ બનાવવા પ્રયાસો માટે પીએમ મોદીની અધ્યક્ષતામાં નેશનલ ગંગા કાઉન્સિલની મહત્વની બેઠક યોજાઇ હતી જેમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ. ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવત ઉપસ્થિત રહ્યા.
આ બેઠકમાં નીતિશકુમાર હાજર રહેવાના હતા પરંતુ નીતિશકુમારે છેલ્લી ઘડીએ તેમનો કાનપુર પ્રવાસ રદ્દ કરી દીધો હતો તેમના સ્થાને નાયબ મુખ્યપ્રધાન સુશીલ મોદી બેઠકમાં હાજર રહ્યા.હતા
આ બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત ઉપરાંત ગંગા કિનારા સ્થિત તમામ પાંચેય રાજ્યોના અનેક પ્રધાનો. મુખ્ય સચિવ પણ ઉપસ્થિત રહ્યા. અત્યાર સુધી ગંગાને સ્વચ્છ બનાવવા માટે અને ગંગાકિનારે વસેલા પ્રદેશોના વિકાસ માટે જે પણ કાર્યો થયા તેની પીએમ મોદીએ સમીક્ષા કરી હતી