મુખ્ય સમાચાર
News of Saturday, 14th December 2019

પ્રદર્શનકારીઓ દ્વારા બે સ્ટેશનોને સળગાવ્યા પછી રાજધાની સહિત આસામની ર૧ ટ્રેનો રદ

આસામમાં નાગરિકતા સંશોધન વિધેયક પર પ્રદર્શન વચ્ચે બે રેલ્વે સ્ટેશનને આગ લગાવ્યા પછી દિબ્રુગઢ- નવી દિલ્હી રાજધાની એકસપ્રેસ સહિત આસામની ર૧ ટ્રેનો રદ  અને લાંબા અંતરની ટ્રેનો ગુવાહાટીમા રોકી દેવામા આવી છે.

જેને લઇને ગુવાહાટીમા ઘણા યાત્રીઓ ફસાયેલા છે. જયારે વિશેષ રેલ્વે સુરક્ષાબળની ૧ર કંપનીઓ પૂર્વોતર મોકલવામાં આવી છે.

(12:00 am IST)