મુખ્ય સમાચાર
News of Saturday, 14th December 2019

નવા નાગરિકતા કાનૂનને લઇને પ્રદર્શન કરી રહેલા લોકોએ બંગાળમાં સળગાવ્યું રેલવે સ્ટેશન

નાગરિકતા (સંશોધન) કાનૂન વિરુદ્ધ પ્રદર્શન કમરી રહેલા લોકોએ શુક્રવારના મુર્શિદાબાદ ( પશ્ચિમ બંગાળ) ના બેલડાંગા સ્ટેશનમાં આગ લગાવી દીધી હતી.

જયારે હાવડામા આ કાનૂન અને પ્રસ્તાપિત એનઆરસી વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલ મુસ્લિમ સમૂદાયના હજારા લોકોએ એનએચ-૬ જામ કરી દીધો.

જો કે મુખ્યમંત્રી બેનરજી કહી ચુકયા છે કે રાજયમાં નવો કાનૂન લાગૂ નહી થાય.

પંજાબ અને કેરળએ પણ નવો કાનૂન લાગૂ ન કરવાનુ એલાન કર્યુ છે.

(12:00 am IST)