'મૌજે ગુજરાત' ઇવેન્ટનું ફેસબુક પર લાઇવ પ્રસારણ નહીં થાય
અકિલા ઇન્ડિયા ઇવેન્ટસ આયોજીત ત્રીજી જબરદસ્ત ઇવેન્ટ 'મૌજે ગુજરાત'નું ઓનલાઇન રજીસ્ટ્રેશન રવિવારે શરૂ થયાની સાથે જ ફુલ હાઉસફુલ થઇ ગયુ છે આમ છતાં ઘણા શ્રોતાઓ રજીસ્ટ્રેશન માટે કતારમાં છે. અગાઉની બે ઇવેન્ટ 'કોકટેલ દેશી' તથા 'લાઇફ મંત્ર'માં હેમુ ગઢવી હોલ ખાતે ખીચોખીચ શ્રોતાઓએ રૂબરૂ ભરપૂર આનંદ માણ્યો હતો, આ ઉપરાંત આ બંને ઇવેન્ટસનું અકિલા ફેસબુક લાઇવ પેજ દ્વારા પણ જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેનો દેશ-વિદેશમાં વસતા અસંખ્ય અકિલા ચાહક વર્ગે લાભ લીધો હતો. પરંતુ આ વખતે 'મૌજે ગુજરાત' ઇવેન્ટસનું ફેસબુક લાઇવ પેજ દ્વારા લાઇવ પ્રસારણ નહીં થાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે ફેસબુક પેઇજ પર લાઇવ ઇવેન્ટ માણી શકાશે નહીં. જેથી જે શ્રોતાઓએ હજુ પણ રજીસ્ટ્રેશન ન કરાવ્યુ હોય તેઓ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી લે. જેથી તેમનો ટર્ન આવ્યે રજીસ્ટ્રેશન ઓકેનો મેસેજ મોકલવામાં આવશે.
અહીં નોંધનીય છે કે, ફ્રી એન્ટ્રી પાસ લીધા પછી પણ વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.