News of Friday, 14th September 2018
જમ્મુ કાશ્મીરના કિશ્તવારના ઠકુરાઈ વિસ્તારમાં વાન ખીણમાં ખાબકી:11 લોકોના મોત:13 ઘાયલ
જમ્મુ-કાશ્મીરના કિશ્તવારના ઠકુરાઈ વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારે એક મેટાડોર વાન ખીણમાં ખાબકતા 11 લોકોનો મોત નિપજ્યા છે. જ્યારે 13 લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવે છે. હાલ રેસ્ક્યુ ટીમે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે વાનચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. વાનમાં 25 લોકો સવાર હતા.
(11:32 pm IST)